ફરિદાબાદઃ પલવલી ગામમાં સરપંચની ચૂંટણી બાદથી ચાલી આવેલી માથાકુટે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. અને હિંસક અથડામણમાં પરિવર્તીત થઈ. જેમાં એક જ પક્ષના 5 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. પલવલી ગામમાં દોઢ વર્ષ ર્પ્વે પંચાયતની ચૂંટણીમાં પૂર્વ સરપંચ બિલ્લુ પલવલીના પત્નીએ ચૂંટણી જીતી હતી. આ દરમિયાન ગામમાં શ્રીચંદની સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ બન્ને પક્ષમાં અનેક વાર અથડામણ થઈ ચુકી છે. જોકે ગત રાત્રી દરમિયાન ગામમાં બન્ને જૂથો વચ્ચે ફરી એકવાર અથડામણ થઈ. જેમાં એક પક્ષ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અને આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.