શ્રીનગરઃ જમ્મૂના સુંજવા આર્મી કેમ્પ પર હુમલાને લઈને ડિફએન્સ PROએ નિવેદન જાહેર કર્યું છે. આર્મી કેમ્પ પર કરાયેલા હુમલામાં 3 આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે પાંચ જવાનો શહીદ થયા હોવાનું આર્મી PROએ જણાવ્યું હતું.
આર્મી કેમ્પ પર આતંકવાદીઓ વિરૂદ્ધ સેનાનું અભિયાન યથાવત્ છે. હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા છે. જ્યારે 4 આતંકવાદીઓ ઠાર મરાયા છે.
આર્મી કેમ્પ પર હુમલાને લઇ ડિફેન્સ પીઆરઓએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 3 આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. હુમલામાં 5 જવાનો શહીદ થયા છે. જ્યારે 1 જવાનના પિતાનું પણ મોત નિપજ્યું છે. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓના હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેમ્પની અંદર સેનાનું ઓપરેશન શરૂ છે.
દિલ્હી જઇ રહ્યા છે પ્રમુખ બિપિન રાવત
ત્યાં આર્મી કેમ્પમાં ચાલી રહેલ ઓપરેશનની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ સેના પ્રમુખ દિલ્હી પરત ફર્યા હતા. રવિવારની સવારે સેના પ્રમુખ બિપિન રાવતે રક્ષામંત્રીને આ વિશે માહિતી આપી હતી. સુંજવા હુમલામાં સેનાના એક શહિદ જવાનના પિતાનું પણ મોત થયું છે જે જમ્મૂ કાશ્મીરના કુપવાડામાં રહેનારા છે.