જામનગરઃ 4 ડિસેમ્બર એટલે ભારતીય નેવી દિવસ. આજના દિવસનું નૌકાદળ માટે અલગ મહત્વ રહેલું છે. પાકિસ્તાન સામે એક માત્ર દરિયાઈ માર્ગે લડાયેલ યુદ્ધમાં ભારતીય નેવીના સૌર્ય પૂર્ણ પ્રદાનને દેશ આજે પણ સલામ કરે છે.
ઓપરેશન ત્રીશુલ નામ આપી ઇન્ડીયન નેવીએ પૂર્વ પાકિસ્તાનના કરાંચી બંદર પર તબાહી મચાવી હતી. નેવીના ત્રણ યુદ્ધ જહાજોએ કરાચી એર બેજ યુદ્ધ જહાજ પેટ્રોલ પમ્પસ અને મહત્વના રસ્તાઓને મિસાઈલ એટેકથી ઉડાવી દેવાયા હતા.
ભારતીય નેવીએ પાકિસ્તાન સેનાની કમ્મર તોડી નાખી હતી. પરિણામે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારવા મજબુર બનવું પડ્યું હતું. યુદ્ધની સૌર્યતા અકબંધ રાખવા દેશ ભરમાં ફેલાયેલ નેવી દ્વારા 4 ડિસેમ્બરે નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.
જામનગરમાં INS વાલસુરા દ્વારા રી-ટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુદ્ધ સમયે દિવસની પૂર્ણાહુતી બાદ જવાનો દ્વારા કરાતા સૌર્ય પૂર્ણ કરતબો અને પરેડ સહિતના કાર્યક્રમ રજુ કરાયા હતા. યુદ્ધ કળા અને પરેડ અને સૌર્ય પૂર્ણ કરતબો તેમજ બેન્ડ સહિતના કાર્યક્રમોને રી-ટ્રીટ-સેરેમનીમાં સમાવાયા હતા. તો નેવીના ભવ્ય ભૂતકાળને લેસર સો દ્વારા રજુ કરાયો હતો.
જામનગર નજીક વાલસુરા ખાતે ઇન્ડીયન નેવી દ્વારા દર વરશે નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વરસે પણ શાનદાર ઉજવણી કરાયા બાદ બીટીંગ-ધ-રી-ટ્રીટ સેરેમની કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુદ્ધ દરમિયાન દિવસની સમાપ્તિ બાદ ફોજ દ્વારા જે કાર્યક્રમો-કરતબો યોજવામાં આવે છે તે જ કાર્યક્રમ પ્રસ્તુત કરાયા હતા.
વાલસુરા નેવી ટ્રેનીંગ સેન્ટરના જવાનો દ્વારા પરેડ સલામી અને બેન્ડ પરેડ યોજાઈ હતી. પરેડમાં જ હથિયારધારી નેવી જવાનોએ કરતબો રજુ કર્યા હતા. તો અમુક જવાનો કુંગ-ફૂ અને અગ્નિ સાથેના કરતબ પણ રજુ કરાયા હતા. દેશના રાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.
જયારે વાલસુરાના ભવ્ય ભૂતકાળને દર્શાવવા લેસર સો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેસર કિરણો દ્વારા સ્થાનિક ટ્રેનીંગ સેન્ટરની સ્થાપનાથી માંડી વર્તમાન સમય સુધીના માઈલ સ્ટોનને વણી લેવામાં આવ્યા હતા.