બનાસકાંઠાઃ અમીરગઢના ડાભેલી નજીક બે જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં 4 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી છે.
અમીરગઢ તાલુકાના ડાભેલીથી વિરપુર વચ્ચે પુરઝડપે પસાર થઈ રહેલી સરકારી કોન્ટ્રાક્ટરની બોલેરો અને સામેથી શ્રમિકોને લઈને આવતી કમાન્ડર જીપ વચ્ચે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તાર મુસાફરોની મરણચીસોથી ગૂંજી ઉઠયો હતો.
અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી બનાસકાંઠા જિલ્લામાં અરેરાટી પ્રસરાવનારા અકસ્માતની વિગતો એવી છે કે અમીરગઢ તાલુકાના ડાભેલીથી વિરમપુર વચ્ચે શનિવારે સાંજે પુરઝડપે પસાર થઈ રહેલી સરકારી કોન્ટ્રાક્ટની બોલેરો અને સામેથી શ્રમિકો ભરીને આવી રહેલી કમાન્ડર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બે જીપોની ટક્કર એટલી જોરદાર હતી કે કમાન્ડર જીપનો ખુદડો બોલી ગયો હતો. અને આ વિસ્તાર મુસાફરોની મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
જ્યારે બે જણાને ઈજાઓ થતાં વિરમપુર 108ના પાયલટ ભવાનજી મહુડીયા અને ઇ.એમ.ટી પ્રકાશભાઈ તલાટીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે મજૂરી કરીને ઘરે જતી વખતે કાળ ભેટી ગયો હતો. અમીરગઢ પંથકના શ્રમિકો મજૂરી કરી પાલનપુર તાલુકાના મલાણા ગામથી ગાંજી ગામે જઈ રહ્યા હતા. ત્યારે માર્ગ અકસ્માતમાં 4 જણાને કાળ ભરખી ગયો હતો.