ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની આજની અંતિમ ટી-20 સિરીઝ તિરૂઅનંતપુરમમાં યોજાઇ. પરંતુ આજની મેચમાં વરસાદને કારણે 20 ઓવરને સ્થાને હવે 8-8 ઓવર કરવામાં આવી હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 8 ઓવરમાં 5 વિકેટનાં ભોગે 67 રન કરી ન્યૂઝીલેન્ડની ટીમને 68 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 8 ઓવરમાં 6 વિકેટનાં ભોગે 61 રન બનાવતા ભારતનો 6 રને સખત વિજય થયો હતો.
આ મેચમાં ભૂવનેશ્વરે પ્રથમ ઓવરનાં અંતે ગુપ્ટિલની વિકેટ ઝડપી હતી. જ્યારે મુનરોને બુમરાહે પેવેલિયન પર પરત મોકલ્યો હતો. હાર્દિક પંડ્યાએ કેન વિલિયમસનને રનઆઉટ કર્યો હતો. અને એ પછીનાં જ બોલે કુલદીપ યાદવે ગ્લેન ફિલિપ્સનની વિકેટ ઝડપી લીધી. તેમજ બુમરાહે હેનરી નિકોલસની વિકેટ ઝડપી.