રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાડાના કારણે સર્જાતા અકસ્માતમાં ગુજરાત દેશમાં સાતમા સ્થાને છે. મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ટ ટ્રાન્સપોર્ટે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં 2016માં તૂટેલા માર્ગના કારણે 120 લોકોના મોત નિપજ્યા છે. અહેવાલ મુજબ તૂટેલા અને ખાડા વાળા માર્ગના કારણે 306 અકસ્માત થયા છે. જેમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં ખોટા સ્પીડ બ્રેકરના કારણે 477 અકસ્માત સર્જાયા છે. અહેવાલ મુજબ માર્ગમાં રખડતા ઢોરના કારણે 220 અકસ્માત થયા છે. જેમાં 84 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સીઝનમાં વરસાદના કારણે 4 હજાર જેટલા ખાડા અને ભુવા પડયા છે.
રાજ્યમાં અકસ્માતના બનાવો વધ્યા
મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટે જાહેર કર્યા આંકડા