સ્ટોકહોમ : અમેરિકાનાં 3 સાઇન્ટિસ્ટ્સ જેફરી સી હોલ માઇકલ રોસબાશ અને માઇકલ યંગને સંયુક્ત રીતે 2017નાં મેડિસિન ક્ષેત્રમાં યોગદાન બદલ નોબેલ પુરસ્કાર એનાયક કરાયું હતું. ત્રણેય વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર શરીરમાં રહેલ બાયોલોજીકલ ક્લોક (જૈવિક ઘડિયાળ)પર તેમનાં કામ માટે આપવામાં આવશે.
સમાચાર એજન્સી અનુસાર નોબેલ એકેડેમીએ જણાવ્યું કે ત્રણેય વૈજ્ઞાનિકોનાં કામથી સમજી શકાય છે કે કઇ રીતે છોડ પ્રાણીઓ અને માણસોની બાયોલોજીકલ ક્લોક કમ કરે છે અને તે પૃથ્વીનાં ભ્રમણ સાથે કઇ રીતે તાલમેલ બેસાડે છે. ત્રણેય સાઇન્ટિસ્ટને 9 મિલિયન સ્વીડિશ ક્રોન (7.20 કરોડ) એવોર્ડ મળશે.
અલ્ફ્રેડ નોબેલ (1833-1996) સ્વીડિશ સાઇન્ટિસ્ટ હતા. તેઓનું મુખ્ય સંશોધન ડાઇનામાઇટ તી જેનાંથી તેઓએ ઘણી કમાણી કરી. નોબેલ ફ્રાન્સમાં રહેતા હતા. તેઓએ સ્થાનિક ન્યુઝ પેપરમાં નોબેલનાં મોતનાં ખોટા સમાચાર છપાયા હતા. હકીકતમાં તે નોબેલનાં ભાઇનું મોત નિપજ્યું હતું. આ ન્યુઝમાં નોબેલને મોતનાં સોદાગર કહેવામાં આવ્યા હતા. સમાચારથી દુખી થઇને નોબેલ પોતાની પ્રોપર્ટીને દાન કરવાનો નિર્ણય કર્યો હતો.