નવી દિલ્હી: ભારતીય સેના આવનારી 15 જાન્યુઆરીએ પોતાનો આર્મી ડે ઊજવશે. એ દરમિયાન ખાસ પરેડ નિકાળવામાં આવે છે. એની તૈયારીમાં લાગેલા કેટલાક જવાનો સાથે દુર્ઘટના સર્જાઇ છે.
મળતી માહિતી અનુસાર ધ્રુવ હેલિકોપ્ટરથી ઉતરવાના રિહર્સલ દરમિયાન 3 જવાન અચાનક ઉપરથી નીચે પડી જાય છે. દુર્ઘટનામાં બે જવાનને સામાન્ય ઈજા પહોંચી છે. જો કે આ દુર્ઘટના દોરડું તૂટી જવાથી સર્જાઈ હતી. ત્યારે આ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે આર્મી ડે ઉજવવાની પરંપરા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઈન ચીફ લેફ્ટિનેન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાના સમ્માનમાં 1949થી ચાલી રહી છે. આ પહેલા બ્રિટિશ મૂળના ફ્રંસિસ બૂચર સેના પ્રમુખ હતા. ત્યારથી દર વર્ષે સેનાના બધા કમાન્ડ હેડક્વાટર્સ અને દેશની રાજધાની દિલ્હીમાં આર્મી પરેડ અને ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.