ભરૂચઃ ઉતરાજ નજીક ટેમ્પો પલટી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 3 લોકનાં મોત થયા છે. જયારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હાંસોટની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માત ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા થયો હતો. જેને લઇ ટેમ્પો પલટી ગયો હતો. અંદાજિત 30 લોકો ભરેલા આ ટેમ્પામાં મૃત્યુ પામનાર 3 મહિલાઓ છે.
આ દુર્ઘટના સર્જાતા અરેરાટી મચી જવા પામી હતી. લોકો બચાવો-બચાવોની ચીસો પાડી રહ્યા હતા. નજીકના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના સર્જાતાની સાથે 108 ઇમરજન્સી મારફતે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. મળતી માહિતી અનુસાર આ ટેમ્પોમાં બોલાવ ગામનો એક પરિવાર મોસાળું લઇને અંકલેશ્વરથી આવતી વખતે દુર્ઘટના ઘટી હતી. હાલ હોસ્પિટલમાં પરિવારોના સંબંધીઓ દોડી આવ્યા હતા.
ભરૂચથી સુરત જતા બાઈકને અજાણ્યા વાહનની ટક્કર લાગતા માતા અને પુત્રનું મોત
આ પહેલા પણ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર -8 પર અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર પરિવારને અકસ્માત નડયો હતો. અજાણ્યા વાહનની ટક્કરે માતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. પિતાને ગંભીર ઇજાઓ થતાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.