મુંબઇ: 26/11 એ પાકિસ્તાનથી આવેલા આતંકીઓ દ્વારા મુંબઇમાં કરવામાં આવેલા સૌથી ખતરનાક આતંકી હુમલાને નવ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.
10 આતંકીઓએ 60 કલાક સુધી કરેલી કાર્યવાહીમાં 164 નિર્દોષ લોકોનો જીવ લીધો હતો અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પાકિસ્તાનમાં બેસેલા હુમલામાં માસ્ટર માઇન્ડ પાકિસ્તાનમાં બિન્દાસ ફરે છે. આ હુમલાએ ભારતના દરેક નાગરિકને એવી ઇજા પહોચાડી છે.
જે કયારેય ભરી શકાશે નહીં. આ હુમલામાં અનેક બહાદૂર પોલીસ અને સેનાના જવાન પણ શહીદ થયા હતા.
જેઓ આતંકીઓ સાથે લડતા લડતા શહીદ થઇ ગયા. ત્યારે મુંબઇ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આતંકી હુમલાની નવમી વરસી પર મુંબઇમાં પોલીસે સલામી કાર્યક્રમનું આયોજન કર્યું છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવમુખ્યમંત્રી દેવેદ્ર ફડણવીસપોલીસ મહાનિદેશક સતીશ કુમાર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોએ માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.