દેશમાં ડુંગળીની કિંમતોમાં થઈ રહેલા વધારાને કારણે ચિંતિત સરકારે મિસ્ત્રથી 2400 ટન ડુંગળીની આયાત કરી છે. સરકારે સંકેત આપ્યો છે કે જો કિંમતો વધુ વધે છે તો હજુ પણ વધુ આયાત કરવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. જથ્થાબંધ બજારમાં ડુંગળી 40થી 50 કિલો વચ્ચે વેચાઈ રહી છે. વેપારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મંત્રાલયે એક વરિષ્ઠ અધિકારીને જણાવ્યું કે ડુંગળી મિસ્ત્રથી આયાત થઈ રહી છે.
ખાનગી વેપારીઓો પહેલાથી જ 2400 ટન ડુંગળી ઓર્ડર કરેલી છે. ડુંગળીનો જથ્થો મુંબઈ બંદરે ઉતરી રહ્યો છે. અધિકારીએ જણાવ્યું કે 9 હજાર ટન ડુંગળીનો વધુ એક જથ્થો આવે તેવી શક્યતા છે. વાણિજ્ય અને કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સરકાર ખાનગી વેપાર હેઠળ આયાતની સુવિધા આપશે.
સાથે જ અધિકારીએ એમ પણ જણાવ્યું છે કે કિંમતમાં વધારો સટ્ટાના કારણે થઈ રહ્યો છે. રાજ્ય સરકારોને સટ્ટાખોરી રોકવા માટે ડુંગળીના વેપારીઓ પર સ્ટોક રાખવાની મર્યાદા લાગુ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે અને ડુંગળીની આયાતને રોકવાના પ્રસ્તાવ અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.