સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે ભાવનગર ગારિયાધારની બેઠક પણ મહત્વનો રોલ ભજવી શકે છે. કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામી શકે છે.
ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ મતદારોને આકર્ષવા માટે વિકાસના દાવા કરી રહ્યું છે તો બીજીબાજુ નગરપાલિકાની ચૂંટણી માં પ્રથમ વખત જનચેતના પાર્ટી પણ જંપલાવનાર છે અને તેનો દાવો છે કે અહીં ભાજપ અને કોંગ્રેસ બંને નિષ્ફળ ગયા છે અને મતદારો આ વખતે અમને સત્તા સોંપશે.
ઉલ્લેખનીય છે કે ગારીયાધારમાં 28 બેઠક માટે ચૂંટણી જંગ જામશે. ગત ચૂંટણીમાં 9 વોર્ડ અને 27 બેઠક હતી તેમાંથી ભાજપ પાસે 25 બેઠક હતી અને કોંગ્રેસને માત્ર 2 બેઠક મળી હતી. તો આ વખતે કુલ 23 હજાર મતદારો મતદાન કરશે. અહી ભાજપ પણ 22 વર્ષોથી રાજ કરી રહી છે.
તો બીજી તરફ અહીંના મહિલાઓનું માનવું છે કે ચૂંટણીના સમયે મત લેવા આવતા રાજકીય લોકો ચૂંટણી પછી દેખાતા નથી. ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણી આગામી 17 ફેબ્રુઆરીનાં રોજ યોજનાર છે અને હવે મતદારો કોને સત્તાના સુકન સોંપાશે તેના ઉપ્પર લોકોની નજર મંડાઈ છે.