2009માં અમદાવાદમાં સર્જાયેલ લઠ્ઠાકાંડનો સુત્રધાર આરોપી જયેશ ઠક્કર ફરાર થયો હતો. મહત્વનુ છે કે જયેશે વચગાળાના જામીન લીધા હતા. ત્યારે હવે આ આરોપી ફરાર થતા પોલીસ કામે લાગી છે.
આ મામલે કોર્ટે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસને તાકીદ કરી છે. ત્યારે હવે આ મામલે ક્રાઈમ બ્રાંચે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા 175 લોકોને અસર થઈ હતી. જેના કારણે 156 લોકોના મોત થયા હતા અને 175 લોકોને આ લઠ્ઠાકાંડમાં અસર થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ લઠ્ઠાકાંડને લઇને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે 2009માં અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડની ઘટનાને પગલે જયેશ ઠક્કર નામના શખ્સની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરતા તેને સજા થતાં જેલમાં મોકલવામાં આવેલ પરંતુ તે તાજેતરમાં વચગાળાના જામીન મેળવી જેલમાંથી બહાર નીકળ્યો હતો.
પરંતુ અચાનક આરોપી ફરાર થઇ જતાં પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને જયેશને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.