ગાંધીનગરઃ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોનો મામલે ઝાકિયા જાફરીની અરજી પર નિર્ણય આવી શકે છે. તત્કાલિન CM મોદી સહિત મોટા નેતાઓ પર આરોપ હતો. નીચલી અદાલતે મોદીની ભૂમિકાને નકારી હતી. નીચલી અદાલતના નિર્ણય વિરૂદ્ધ ઝાકિયાએ અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સુનાવણી બાદ નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. ઝાકિયાની અરજી પર ગુજરાત હાઇકેર્ટ આજે ફેસલો કરશે.
ઉચ્ચ અદાલતે આ પહેલા 9 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. અરજીમાં 2002ના તોફાનો પાછળ કહેવાતી મોટી ગુનાહિત ષડયંત્ર હોવાના મામલે વિશેષ તપાસ દળ - SIT દ્વારા ક્લીન ચીટ આપવા પર સાચુ સાબિત કરવા પર નિચલી અદાલતના આદેશને પડકારવામાં આવી છે. અરજદારોએ આને નવી રીતે તપાસની માંગ કરી છે.
અરજીમાં મોદી અને અન્ય 59 ને તોફાનો માટે ગુનાહિત ષડયંત્ર કરવાના આરોપી બનાવવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 28 ફેબૃઆરી 2002ના ગુજરાતના ગુલબર્ગ સોસાયટીમાં ટોળાએ ઝાફરી સહીત લગભગ 68 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.