RBI એ ગત સપ્તાહે 200 રૂપિયાની નોટ બહાર પાડી હતી. પરંતુ એને અત્યારે ATM દ્વારા લોકો સુધી પહોંચાડવામાં બે થી ત્રણ મહિના સુધીનો સમય લાગશે. એના માટે એટીએમને પહેલા એવી રીતે બનાવવામાં આવશે. કેટલીક બેંકોએ એટીએમ કંપનીઓને એવું પણ કહી દીધું છે કે એ મશીનોને એના યોગ્ય બનાવવા માટે નવી નોટનું પરીક્ષણ શરૂ કરી દે. જો કે કેટલીક બેંકોને નવી નોટની આપૂર્તિ થઇ નથી. ગત વર્ષે નવેમ્બરમાં કરવામાં આવેલી નોટબંધી બાદ બેંકોએ એટીએમ મનમશીનોએ નવી નોટોના ઉપયુક્ત કરાવ્યું હતું.
આરબીઆઇએ એક નિવેદન આપીને કહ્યું હતું કે 200 રૂપિયાની નોટની આપૂર્તિ જલ્દી શરૂ કરવામાં આવશે. પરંતુ આરબીઆઇએ એવું નથી જણાવ્યું કે આ નોટ પૂરતાં પ્રમાણમાં ક્યાં સુધી ઉપલબ્ધ થઇ જશે.
એટીએમ બનાવનારી કંપનીઓએ કહ્યું છે કે એમને આરબીઆઇથી 200 રૂપિયાની નવી નોટના અનુરૂપ એટીએમમાં ફેરફાર કરવા માટે કોઇ સૂચન મળ્યું નથી. એમને કહ્યું કે કેટલીક બેંકોએ બિનસત્તાવાર રીતે એમને કહ્યું છે કે એ નવી નોટનું પરીક્ષણ શરૂ કરી દે કારણ કે એનો આકાર અલગ છે.
તમને જણાવી દઇએ કે દેશમાં કુલ 2.25 લાખ એટીએમ મશીન છે અને હજુ એને નવી નોટના અનુરૂપ બનાવવાના બાકી છે.