લખનઉ : ઉત્તરપ્રદેશનાં આગરા એક્સપ્રેસ હાઇવે પર વાયુસેનાનાં વિમાન 24 ઓક્ટોબરે ઉતરવા અને ઉડ્યન ભરવાનો અભ્યાસ કરસે. આમ તો આ અભ્યાસ ગત્ત વર્ષે પણ થઇ ચુક્યો છે પરંતુ આ વખતે પરિવહન વિમાન (એએન-32) પણ આ એક્સપ્રેસ હાઇવે પર ઉતરશે અને ઉડ્યન ભરશે. આ વખતે વાયુસેનાનાં કુલ 20 વિમાન એક્સપ્રેસ હાઇવે પર ઉતરશે અને ઉડ્યન ભરશે.
આ અભ્યાસને ધ્યાને રાખી આગરા - લખનઉ એક્સપ્રેસ હાઇવેનાં કેટલાક હિસ્સાઓમાં 20 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધીનો તમામ વ્યવહાર બંધ રહેશે. સંરક્ષણ મંત્રાલય (સેન્ટ્રલ કમાન્ડ)નાં જનસંપર્ક અધિકારી ગાર્ગી મલિક સિન્હાએ કહ્યું કે ભારતીય વાયુસેના આગરા - લખનઉ એક્સપ્રેસ હાઇવે ઉન્ના જિલ્લાનાં નજીકની એર સ્ટ્રિપ પર ઉથરવા અને ઉડયન ભરવાનો અભ્યાસ કરશે. આ અભ્યાસમાં ભારતીય વાયુસેનાનાં 20 વિમાન હિસ્સો લેશે
જેમાં લડાકુ અને પરિવહન વિમાનનો સમાવેશ થશે. તેમાં મિરાઝ 2000 જગુઆર સુખોઇ 30 અને એએન-32 પરિવહન વિમાનનો સમાવેશ થાય છે. ઉતરવા અને ઉડ્યન ભરવાનો અભ્યાસ 24 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી થશે.