પતંજલિ આયુર્વેદની એજન્સી અપવાવાની લાલચ આપી થરાદના લુણાવા ગામના યુવાન સાથે છેતરપિંડી થઈ છે. રૂપિયા 17 લાખની છેતરપિંડી થતાં યુવાને થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. લુણાવા ગામના જયંતી પઢિયારે પતંજલીનો સ્ટોર અને એજન્સી માટે ઓનલાઈન અરજી આપી હતી.
જે બાદ પતંજલિના મેનેજરની ઓળખ આપી વિકાસ નામના વ્યક્તિએ જયંતી પઢિયાર પાસેથી રૂપિયા 17 લાખથી વધુની રકમ 5 હપ્તામાં પડાવી હતી. પરંતુ એજન્સીના એગ્રીમેન્ટ માટે તેઓએ માગ કરતા યોગ્ય જવાબ મળ્યો હતો નહીં. તેથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.