અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદી લીધા બાદ ફુડ પોઇઝનિંગ થયું હોવાની માહિતી બહાર આવી છે. જેમાં 150 જેટલા લોકોને ફુડ પોઇઝિંગની અસર થઇ છે. ફૂડ પોઇઝિગની અસર થતા દોડધામ મચી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર શહેરના દરિયાપુર વિસ્કતારનમાં આવેલા ફૂટી મસ્જિદ પાસે ધાર્મિક કાર્યક્રમમાં ખીર અને દૂધ કોલ્ડ્રિક્સનો પ્રસાદ હતો. આ પ્રસાદ લીધા બાદ મોડીરાતે અંદાજિત 150 જેટલા લોકોને ફૂડ પોઇઝીગની અસર થઈ હતી અને 25 થી વધુ બાળકોને પણ ફુડ પોઇઝનિંગની અસર થઇ હતી. જેના કારણે તાતકાલિક 108 દ્વારા નજીકની સિવિલ હોસ્પિટલમાં 75 થી વધુ લોકો તેમજ વીએસ હોસ્પિટલમાં 55 જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વીએસ હોસ્પિટલ સારવાર માટે હોસ્પિટલ તંત્ર ખાડે પગે થયું છે. અને ડોકટરોની ટિમો દ્વારા દર્દીઓને સારવાર અપાઈ રહી છે અને મોડીરાતે 100 થી વધુ કેસોં આવતા સિવિલ હોસ્પિટલમાં વધારાનો એક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે..