અમદાવાદઃ માનસી સર્કલ પાસે 12 વર્ષીય કિશોરે આત્મહત્યા કરી છે. શહેરના માનસી સર્કલ પાસે ઈન્દ્રપ્રસ્થ બંગલોમાં રહેતા યુવકે આપઘાત કર્યો છે. બ્લ્યૂ વ્હેલ ગેમના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં આજે 12 વર્ષીય કિશોરે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. કિશોરના હાથમાં અજીબ ચિત્ર મળી આવતા બ્લૂ વ્હેલ ગેમનો ભોગ બન્યો હોવાનું માનવામાં આવે છે અને તેની ઉંડાણપૂર્વક તપાસ વસ્ત્રાપુર પોલીસે શરૂ કરી છે. ધોરણ 6માં અરહાન કુંજલભાઇ શાહ નામના કિશોરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન તેના હાથ પર ઓળખ ના થઇ શકે તેવું ચિત્ર દોરેલું છે. કિશોર બ્લૂ વ્હેલ ગેમના કારણે ભોગ બન્યો તેવું હાલ ના કહી શકાય. આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.
કિશોર સાંજે તેના ભાઇ સાથે ઘરે હતો અને રમી રહ્યો હતો. ત્યારબાદ તેનો ભાઇ ટ્યૂશન ગયો. તેના પિતા એસ્ટેટ બ્રોકર છે તેઓ એક ક્લબમાં ગયા હતા. ઘરે દાદા અને દાદી હાજર હતા. તે દરમિયાન અરહારે ઉપરના માળે ગયો અને ત્યાં કપડા સુકવવાની દોરી વડે લોખંડની એન્ગલ સાથે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેણે હાથમાં લાલ કલરથી ચિત્ર દોર્યું હતું.