આજથી સમગ્ર ગુજરાત સહીત સમગ્ર દેશ ગણપતિ મહોત્સવમાં મગ્ન બન્યો છે ત્યારે ગોહિલવાડમાં પણ ગણપતિ મહોત્સવનો ઉત્સાહ ખાસ જોવા મળ્યો હતો. ગોહિલવાડની ઓળખણ પામેલ ભાવનગરમાં યોજવામાં આવેલ ગણપતિ મહોત્સવની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી હતી જેમાં આ વર્ષે ખાસ કરીને ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ દરેક સ્થળે પધરાવામાં આવે તેવો ખાસ પ્રયાસ થાય તવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં પીઓપીની જગ્યાએ માટીના ગણપતિની મૂર્તિઓ પધરાવામાં આવી હતી.
સમગ્ર ભારતમાં ગણપતિ મહોત્સવનો શુભારંભ થઈચૂક્યો છે ત્યારે ભાવનગરની એક ફેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માટીમાંથી ગણપતિ બનાવવા અંગેનો ખાસ વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં 5 વર્ષથી શરુ કરી 65 વર્ષના દાદાએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈને આશરે 100 જેટલા ગણપતિ બાપાને માટીનો આકાર આપી લોકોને અને સમાજને ઇકો ફ્રેન્ડલી બનવાનો સંદેશ આપ્યો હતો.