લોખંડી પુરુષ અને અખંડ ભારતનું નિર્માણ કરનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલનું એક કલાકાર દ્વારા અપમાન કરવામાં આવ્યું છે. રાજકોટમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક દેવાયત ખાવડ નામના ભજન કલાકારે ભજન દરમિયાન કહ્યું કે ઘણાં લોકો એવું કહે છે કે સરદાર વલ્લભ ભાઈ પટેલે 572 રજવાડાનું વર્ગીકરણ કર્યું. જોકે વલ્લભભાઈના પિતાની પણ તેવડ નહોતી કે રજવાડાનું રૂવાડું વાંકુ કરી શકે.
જો કે આ મામલે રાજકોટવાસીઓએ કલાકાર વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવાની માગ કરી છે. આ મુદ્દે રાજકોટવાસીઓએ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવા બદલ કડક કાર્યવાહીની માગ કરી છે.
ઘણાં એવું કે છે કે "સરદાર વલ્લભ ભાઈ પટેલે 572 રજવાડાનું વર્ગીકરણ કર્યું અરે વલ્લભભાઈનાં બાપની તેવડ નથી કે રૂવાડું ખાંડુ કરી શકે આ રજવાડાનું"