PM નરેન્દ્ર મોદી અને CM વિજય રૂપાણી વચ્ચે એક સામ્યતા છે અને તે છે વજુભાઈ વાળા. 1998માં રાજકોટ-2 બેઠક પરથી વજુભાઈ વાળા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૨માં વજુભાઈ વાળાએ ભાજપના ગઢ ગણાતી રાજકોટ-2ની બેઠક ખાલી કરતાં ૨૦૦રમાં રાજકોટ મત વિસ્તારમાંથી પહેલી વાર તેઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું કે જે મોદીની જાહેર જીવનની સૌથી પહેલી ચૂંટણી હતી.
આ અગાઉ કયારેય મોદી ચૂંટણી લડ્યા ન હતા તેમ છતાં જીત હાંસલ કરી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. નરેન્દ્ર મોદી ત્યારે ધારાસભાના સભ્ય પણ ન હતા. મોદીએ આ જીત હાંસલ કર્યા બાદ પ્રથમ વાર ધારાસભાનાં સભ્ય બન્યા હતાં.
૨૦૧૪માં વજુભાઈ વાળા પાસે આ સીટ હતી પણ કર્ણાટકના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂંક થતા ફરી આ સીટ ખાલી થઈ અને આ સીટ પર વિજય રૂપાણીએ જીત હાંસલ કરી અને આજે એ જ સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય વિજય રૂપાણીની વરણી રાજ્યના મુખ્યમંત્રી તરીકે કરાઈ છે.
વજુભાઈએ પોતાના કાર્યકાળમાં બે વખત આ સીટ ખાલી કરી હતી અને બંને પર ચૂંટાયેલા ઉમેદવારો મુખ્યમંત્રી બન્યા છે એટલે વજુભાઈ વાળાને રાજકીય સૂત્રો હવે પેસિવ કિંગમેકર કહેવા લાગ્યા છે.